ભારતીય અને શ્રીલંકન નૌકાદળનું સફળ એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન

Saransh Kanaujia
2 Min Read

અરબી સમુદ્રમાં શ્રીલંકાના ફ્લેગવાળા માછીમારીના જહાજો દ્વારા સંભવિત માદક દ્રવ્યોની દાણચોરી અંગે શ્રીલંકન નૌકાદળ પાસેથી મળેલી માહિતીના આધારે, ભારતીય નૌકાદળે બોટની ભાળ મેળવવા અને તેને અટકાવવા માટે સંકલિત કામગીરી કરી ઝડપી પ્રતિક્રિયા આપી હતી.

ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર (ઈન્ડિયન ઓશન રિજન), ગુરુગ્રામના ઈનપુટ્સના આધારે ઈન્ડિયન નેવલ લોંગ રેન્જ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને રિમોટલી પાઈલેટેડ એરક્રાફ્ટ દ્વારા વ્યાપક દેખરેખ હાથ ધરવામાં આવી હતી અને પ્રયાસોને વધારવા માટે ભારતીય નૌકાદળના જહાજને તૈનાત કરવામાં આવ્યું હતું.

શ્રીલંકાના નૌકાદળ દ્વારા મળી રહેલા સતત ઇનપુટ્સ અને ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ દ્વારા એરિયલ સર્વેલન્સના આધારે બે બોટની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ જહાજ અને હવાઈ અસ્કયામતો વચ્ચેની નજીકથી એક સંકલિત કામગીરીમાં, 24 અને 25 નવેમ્બર 2024ના રોજ જહાજની બોર્ડિંગ ટીમ દ્વારા બંને બોટ પર તપાસ કરવામાં આવી હતી, જેમાં આશરે 500 કિલો માદક પદાર્થ (ક્રિસ્ટલ મેથ) જપ્ત કરવામાં આવ્યો હતો. એક વધુ ભારતીય વાયુસેનાના જહાજને એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધરવા માટે ફોર્સ લેવલ વધારવા માટે પણ કામ સોંપવામાં આવ્યું હતું.

બે બોટ, ક્રૂ અને જપ્ત કરાયેલ માદક દ્રવ્યની સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે શ્રીલંકાના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

આ ઓપરેશન બંને દેશો અને નૌકાદળ વચ્ચેની વિકસિત ઘનિષ્ઠ ભાગીદારી અને સંબંધોની પુષ્ટિ કરે છે. આ પ્રાદેશિક દરિયાઈ પડકારોનો સામનો કરવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને નૌકાદળના સંયુક્ત સંકલ્પનું પણ પ્રતિક છે.

Related Post

Share This Article